Galatians 3

1ઓ અણસમજુ ગલાતીઓ, તમારી આંખો આગળ વધસ્તંભે જડાયેલા ઈસુ ખ્રિસ્તને સાક્ષાત પ્રગટ કરવામાં આવ્યા હોવા છતાં તમને કોણે ભરમાવ્યા? 2તમારી પાસેથી હું એટલું જ જાણવા ઇચ્છુ છું કે, તમે નિયમનાં કાર્યોથી પવિત્ર આત્મા પામ્યા, કે વિશ્વાસથી સુવાર્તા સાંભળવાથી પામ્યા? 3શું તમે એટલા બધા અણસમજુ છો?, કે આત્મા વડે આરંભ કરીને હવે દેહ વડે સંપૂર્ણ થાઓ છો?

4શું તમે એટલાં બધાં સંકટ નકામાં સહ્યાં? જો કદાપિ નકામાં હોય તો. 5એ માટે જે તમને પવિત્ર આત્મા આપે છે અને તમારામાં ચમત્કારો કરે છે, તે શું નિયમનાં કાર્યોને લીધે કે સુવાર્તા સાંભળીને વિશ્વાસ કરવાને લીધે કરે છે?

6એ પ્રમાણે ઇબ્રાહિમે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને તે ન્યાયીપણા તરીકે ગણાયો. 7માટે જાણો કે જેઓ વિશ્વાસ કરે છે, તેઓ ઇબ્રાહિમના દીકરા છે. 8ઈશ્વર વિશ્વાસથી બિનયહૂદીઓને ન્યાયી ઠરાવશે, તે અગાઉથી જાણીને પવિત્ર શાસ્ત્રે ઇબ્રાહિમને સુવાર્તા પ્રગટ કરી કે, તારા ધ્વારા સર્વ પ્રજાઓ આશીર્વાદ પામશે. 9એ માટે કે જેઓ વિશ્વાસ કરનારા છે, તેઓ વિશ્વાસુ ઇબ્રાહિમની સાથે આશીર્વાદ પામે છે

10કેમ કે જેટલા નિયમનાં કાર્યો કરનારા છે તેટલા શાપ નીચે છે, કેમ કે એમ લખ્યું છે કે, ‘નિયમશાસ્ત્રના પુસ્તકમાં જે આજ્ઞાઓ લખેલી છે તે બધી જે પાલન કરતો નથી, તે શાપિત છે.’ 11તો હવે એ સ્પષ્ટ છે કે નિયમથી ઈશ્વરની આગળ કોઈ પણ ન્યાયી ઠરતું નથી, કેમ કે ‘ન્યાયી વિશ્વાસથી જીવશે.’ 12નિયમ વિશ્વાસને આધારે નથી, પણ આવો છે: ‘જે કોઈ તેમાંની આજ્ઞાઓ પાળશે તે તેનાથી જીવશે.’

13ખ્રિસ્તે આપણા વતી શાપિત થઈને, નિયમના શાપથી આપણને છોડાવી લીધા, કેમકે લખેલું છે કે, ‘જે કોઇ ઝાડ પર ટંગાયેલો છે, તે શાપિત છે;’ 14એ માટે કે ઇબ્રાહિમનો આશીર્વાદ ખ્રિસ્ત ઈસુમાં બિનયહૂદીઓને મળે અને આપણે પવિત્ર આત્મા વિષેનું વચન વિશ્વાસથી પામીએ.

15ભાઇઓ, હું મનુષ્યની રીત પ્રમાણે કહું છું કે, મનુષ્યના સ્થાપિત થયેલા કરારને કોઇ રદ કરતો અથવા વધારતો નથી. 16હવે ઇબ્રાહિમને તથા તેનાં સંતાનને વચનો કહેવામાં આવ્યા હતાં અને તેનાં સંતાનોને જાણે ઘણાં વિષે ઈશ્વર કહેતાં નથી; પણ ‘તારા સંતાનને’, એમ એક વિષે [કહે છે] તે તો ખ્રિસ્ત છે.

17હવે આ હું કહું છું કે, જે કરાર ઈશ્વરે ખ્રિસ્તમાં અગાઉથી નક્કી કર્યો હતો તેને ચારસો ત્રીસ વરસ પછી થયેલો નિયમ રદ કરીને તેમનું વચન નકામું કરી શકતો નથી. 18કેમ કે જો વારસો નિયમથી છે, તો તે વચનથી નથી; પણ ઈશ્વરે વચનથી જ ઇબ્રાહિમને તે વારસો આપ્યો.

19તો નિયમ શા માટે છે? તે અપરાધોને લીધે આપવામાં આવેલો હતો; જે સંતાનને વચન અપાયું તે આવે ત્યાં સુધી નિયમ તે આપેલો હતો; અને તે મધ્યસ્થની મારફતે, દૂતો દ્વારા ફરમાવેલો હતો. 20હવે મધ્યસ્થ તો માત્ર એકનો (મધ્યસ્થ) નથી, પણ ઈશ્વર એક છે.

21ત્યારે શું નિયમ ઈશ્વરનાં વચનોથી વિરુધ્ધ છે? કદી નહિ, કેમ કે જીવન આપી શકે એવો કોઈ નિયમ જો આપવામાં આવ્યો હોત, તો નિશ્ચે નિયમથી ન્યાયીપણું મળત. 22પણ પવિત્રશાસ્ત્રે બધાંને પાપને તાબે બંધ કર્યા, કે આપણો બચાવ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી છે તે વચન વિશ્વાસ કરનારાઓને આપવામાં આવે.

23પણ આ વિશ્વાસ આવ્યા અગાઉ, આપણે નિયમની આધીનતામાં, જે વિશ્વાસ પછીથી પ્રગટ થનાર હતો, તેને સારુ આપણને નિયંત્રણમાં રાખવામાં આવ્યા હતા. 24એમ આપણને ખ્રિસ્તની પાસે પહોંચાડવા સારુ નિયમશાસ્ત્ર આપણો બાળશિક્ષક હતું કે જેથી આપણે વિશ્વાસથી ન્યાયી ઠરીએ. 25પણ હવે વિશ્વાસ આવ્યા પછી આપણે બાળશિક્ષકના હાથ નીચે નથી. 26કેમ કે તમે બધા ખ્રિસ્ત ઈસુ પરના વિશ્વાસથી ઈશ્વરના દીકરા છો;

27કેમ કે તમારામાંના જેટલા ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામ્યા તેટલાએ ખ્રિસ્તને અપનાવી લીધા. 28માટે હવે કોઈ યહૂદી નથી કે ગ્રીક નથી, કોઇ દાસ નથી કે સ્વતંત્ર નથી, કોઇ પુરુષ નથી કે સ્ત્રી નથી, કેમ કે તમે બધા ખ્રિસ્તમાં એક છો. અને જો તમે ખ્રિસ્તના છો, તો તમે ઈબ્રાહિમનાં સંતાન અને વચન પ્રમાણે વારસ પણ છો.

29

Copyright information for GujULB